માતા અને બાળકને આરોગ્યની તમામ સેવાઓ મળી રહે તે માટે સરકારશ્રીએ મમતા દિનની ઉજવણી કરવાનું નકકી કરેલ છે. જે મુજબ પ્રા.આ.કેન્દ્ર/સા.આ.કેન્દ્ર કક્ષાએ સોમવારે તથા સબસેન્ટ કક્ષાએ તથા અન્ય ગામોએ નકકી કરેલ સ્થળે અને સમયે બુધવારના દિવસે નીચે મુજબની આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવે છે.
આ મમતા દિવસે માતા અને બાળકના સ્વાસ્થ્ય સબંધી તમામ તપાસ તથા સારવાર આપવામાં આવે તેમજ માતા મરણદર અને બાળ મરણદરને અટકાવવો.
આ કાર્યક્રમમાં આરોગ્યના પુરૂષ /સ્ત્રી કર્મચારી તથા ટ્રેઇન દાયણ, આંગણવાડી કાર્યકર, મ.સ્વા.સંઘના સભ્યો તેમજ ૧ થી ૧૯ વર્ષની કિશોરી બહેનો ધ્વારા સક્રિય કામગીરી કરવામાં આવે છે. આ અંગેનું સુપરવિઝન પ્રા.આ.કેન્દ્રના મે.ઓ./મેલ/ફિમેલ સુપરવાઇઝર તથા બ્લોક કક્ષાએથી બ્લોક હેલ્થ ઓફિસર/બી.આઇ.ઇ.સી. ઓફિસર/ બ્લોક એચ.વી./મુખ્ય સેવિકા બહેનો/સી.ડી.પી.ઓ. ધ્વારા સુપરવિઝન કરવામાં આવે છે.