જનની સુરક્ષા યોજનામાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિના તમામ અન્ય માટે ગરીબી રેખાથી નીચે જીવતા કુટુંબની પ્રસુતા માતાઓને પ્રસુતિ સમયે દવા સારવાર અને ખોરાક માટે તમારા ગામના સ્થાનિક નર્સબેન પાસેથી રૂ.૫૦૦/- અંકે રૂપિયા પાંચસો પુરા ચુકવવામાં આવશે.
તો ચાલો આપણે સૌ સાથે મળીને જનની સુરક્ષાનો વધુમાં વધુ લાભ લઇ માતા મરણ અને બાળ મરણ અટકાવવા આપણે યોગદાન આપીએ. આ યોજનાની શરતો નીચે મુજબ છે.
શહેરી વિસ્તારની સગર્ભા બહેનોને મળતા લાભોઃ
ગરીબી રેખા હેઠળની સગર્ભા માતા જો દવાખાનામાં પ્રસુતિ કરાવે તો તેને રૂ.૫૦૦/- અંકે રૂપિયા પાંચસો તથા દવાખાના સુધી આવવા જવાના વાહનના ભાડા પેટે રૂ.૧૦૦/- અંકે રૂપિયા સો પુરા મળશે.