×

શાખાની કામગીરી

  • આયુર્વેદ દવાખાનાઓમાં ગ્રામ્‍ય વિસ્‍તારમાં લોકોને આયુર્વેદ પધ્‍ધતિથી સારવાર આપવામાં આવે છે.
  • આયુર્વેદ મેડીકલ ઓફીસરો ધ્‍વારા સારવાર ઉપરાંત સ્‍વાસ્‍થ્‍ય રક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
  • પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્‍ય તપાસણી કરી જરૂરી સારવાર અને સલાહ સુચનો આપવામાં આવે છે.
  • બાળકોની રોગ પ્રતિકારક શકિત વધે અને બાળકો મેઘાવી બને તેવા અભિગમ સાથે બાળકોને પુષ્‍ય નક્ષત્રમાં સુવર્ણપ્રાસન કરાવવામાં આવે છે.
  • સંક્રામણ અને પાણી જન્‍ય રોગોના અટકાવ માટે સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરવામાં આવે છે.
  • પ્રાથમિક શાળા તેમજ હાઇસ્‍કુલોમાં સેમીનાર ચર્ચા તથા પ્રશ્નોત્તરી ધ્‍વારા આયુર્વેદમાં જણાવ્‍યા મુજબ : આહાર, વિહાર, દિનચર્યા, ઋતુચર્યા વગેરેની જાણકારી આપવામાં આવે છે.
  • ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને ઔષધિય વનસ્‍પતિનું પ્રદર્શન યોજી તેની ખેતી અંગે પ્રોત્‍સાહન અને સમજ આપવામાં આવે છે. આ માટે સનાથલ મુકામે ઔષધિય વનસ્‍પતિ ઉદ્યાન બનાવવામાં આવેલ છે.
  • અંતરિયાળ ગામોમાં જયાં આરોગ્‍યની સુવિધાઓ નથી ત્‍યાં ફરતું આયુર્વેદિક દવાખાનું “ધન્‍વન્‍તરી રથ” ધ્‍વારા ગ્રામ્‍ય જનતાને ઘર આંગણે સ્‍વાસ્‍થ્‍ય સુવિધા પુરી પાડવામાં આવે છે.
  • મેડીકલ ઓફીસરોની ટીમ ધ્‍વારા સ્‍વાસ્‍થ્‍ય અંગેની જાગૃતિ તથા સારવાર માટે નિઃશુલ્‍ક નિદાન સારવાર કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે.
  • આયુર્વેદ શાખા ધ્‍વારા હોમિયોપેથીક મેડીકલ ઓફીસરો ધ્‍વારા હોમિયોપેથીક પધ્‍ધતિથી સારવાર આપવામાં આવે છે.
  • અતિવૃષ્‍ટિ, ધરતીકંપ જેવી આપત્તિકાલીન સમયમાં મે.ઓ.શ્રીઓની ટીમ ધ્‍વારા સરકારશ્રીની સુચના મુજબ કામગીરી કરવામાં આવે છે.
  • દંત વિદ્યા વિશારદ ધ્‍વારા આયુર્વેદ પધ્‍ધતિથી દાંતના રોગોની સારવાર કરવામાં આવે છે અને આયુર્વેદની વિશિષ્‍ટ એવી “જાલંધર બંધ” વિધિથી કોઇપણ જાતની પીડા કે રકતષાવ ન થાય તે રીતે દંતોદ્‌ પાટન કરવામાં આવે છે.